
આજે વાઘ બારસ છે. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક એટલે કે વાણી અને વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પણ આજે પૂજન કરવામાં આવે છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ.
વસુ એટલે ગાય. ગાયને રુએ રુએ દેવતા છે એવું આપણા શાસ્ત્રો કહે છે એટલે ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. ઈન્દ્ર પાસે ઈચ્છીત ફળ આપનારી કામધેનુ નામની ગાય છે એવી માન્યતા છે. આમેય ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ગાય અને ગૌવંશની એક વિશિષ્ટ મહત્તા છે.
વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. આજના દિવસે લોકો ધનતેરસની પૂજાની તૈયારી પણ કરતા હોય છે. અને પૂજન સામગ્રીની ખરીદી કરતા હોય છે. અગાઉના જમાનામાં વ્યક્તિ પાસેની સમૃદ્ધિનું માપ એની પાસે કેટલું ગૌધન છે ગાયનું દાન આપવાનો પણ વિશિષ્ટ મહિમા છે ત્યારે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે ગોવાળીયા બનીને જે ગાયમાતાની સેવા કરી હતી ગૌમાતાના ક્ષીરસાગરમાંથી પ્રાગટ્ય દિવસે એનું પૂજન કરી નીરણ અથવા ખાણ ખવરાવવાનો વિશિષ્ટ મહિમા છે.
વનવાસી લોકજીવન પ્રકૃતિ પર નિર્ભર છે. ડાંગના જંગલો તેમજ ગુજરાતની આદિવાસી પૂર્વ-ઉત્તર પટ્ટીમાં વસતા વનવાસીઓને પોતાના ઢોરઢાંખર ચારવા, ખેતી અર્થે તેમજ વન્ય પેદાશો મેળવવા જંગલમાં અવર-જવર કરવી પડતી હોય છે. સ્વાભાવિક રીતે જ આ પ્રવૃત્તિમાં તેમને જંગલી પશુઓ અથવા સાપ કે અજગર જેવા સરિસૃપ જીવો સાથે ભેટો થતો હોય છે. આ કારણથી માણસ રખડુ જીવન ગાળતો હતો અને જંગલો ખુંદતો હતો ત્યારથી સાપ, વાઘ તેમજ અન્ય વનસૃષ્ટિ તેમજ કુદરતની ઉપાસના કરતો આવ્યો છે. આપણા વનવાસીઓમાં પ્રકૃતિ પૂજાની આ પ્રથા આજે પણ ચાલે છે.
#VaghBaras2020 #VaghBaras #IndianFestivals #DiwaliIsHere #Celebration #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali
આજે વાઘ બારસ છે. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક એટલે કે વાણી અને વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પણ આજે પૂજન કરવામાં આવે છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ. વસુ એટલે ગાય. ગાયને રુએ રુએ દેવતા છે એવું આપણા શાસ્ત્રો કહે છે એટલે ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. ઈન્દ્ર પાસે ઈચ્છીત ફળ આપનારી કામધેનુ નામની ગાય છે એવી માન્યતા છે. આમેય ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ગાય અને ગૌવંશની એક વિશિષ્ટ મહત્તા છે. વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. આજના દિવસે લોકો ધનતેરસની પૂજાની તૈયારી પણ કરતા હોય છે. અને પૂજન સામગ્રીની ખરીદી કરતા હોય છે. અગાઉના જમાનામાં વ્યક્તિ પાસેની સમૃદ્ધિનું માપ એની પાસે કેટલું ગૌધન છે ગાયનું દાન આપવાનો પણ વિશિષ્ટ મહિમા છે ત્યારે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે ગોવાળીયા બનીને જે ગાયમાતાની સેવા કરી હતી ગૌમાતાના ક્ષીરસાગરમાંથી પ્રાગટ્ય દિવસે એનું પૂજન કરી નીરણ અથવા ખાણ ખવરાવવાનો વિશિષ્ટ મહિમા છે. વનવાસી લોકજીવન પ્રકૃતિ પર નિર્ભર છે. ડાંગના જંગલો તેમજ ગુજરાતની આદિવાસી પૂર્વ-ઉત્તર પટ્ટીમાં વસતા વનવાસીઓને પોતાના ઢોરઢાંખર ચારવા, ખેતી અર્થે તેમજ વન્ય પેદાશો મેળવવા જંગલમાં અવર-જવર કરવી પડતી હોય છે. સ્વાભાવિક રીતે જ આ પ્રવૃત્તિમાં તેમને જંગલી પશુઓ અથવા સાપ કે અજગર જેવા સરિસૃપ જીવો સાથે ભેટો થતો હોય છે. આ કારણથી માણસ રખડુ જીવન ગાળતો હતો અને જંગલો ખુંદતો હતો ત્યારથી સાપ, વાઘ તેમજ અન્ય વનસૃષ્ટિ તેમજ કુદરતની ઉપાસના કરતો આવ્યો છે. આપણા વનવાસીઓમાં પ્રકૃતિ પૂજાની આ પ્રથા આજે પણ ચાલે છે. #VaghBaras2020 #VaghBaras #IndianFestivals #DiwaliIsHere #Celebration #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali