“... અને હવે, DEAR અગ્રજા! રક્ષાબંધન (૧૧ ઑગસ્ટ, ૨૦૨૨)ના પાવન પર્વ નિમિત્તે માતૃરૂપિણી બહેનોને પુસ્તકપુષ્પ અર્પણમસ્તુ... ♥️💐 જીવનના એક તબક્કે ‘બહેન’ શબ્દ માતાનો પર્યાયવાચી બની જાય છે. આયખાનો ખાલીપો, ઝુરાપો અને આંતરવેદના વહેંચવા માટે જ્યારે બહેન હાજર હોય, ત્યારે પરમ શક્તિ પરમેશ્વર આપણાં ઉપર મહેરબાન છે એવું માની લેવું જોઈએ! બાળપણમાં જેને હેરાન કર્યા વગર ભોજન ગળે ન ઉતરે તેવી સખી, જીવનઘડતરમાં મહત્વનો ભાગ ભજવનારી લાગણીશીલ બહેન, ખભે માથું રાખીને હૈયાફાટ રડી શકાય એવી શ્રેષ્ઠ મિત્ર અને મમતાના વ્હાલસોયા સ્પર્શ થકી અનેક સમસ્યાઓને ચપટી વગાડતાંમાં ઉકેલી શકનાર વિશ્વની તમામ બહેનોને આ પુસ્તક અર્પણ છે. ‘DEAR અગ્રજા‘ પુસ્તક મારી કેટલીક અંગત અને અવ્યક્ત લાગણીઓનો ચિતાર છે. કેટલાક કિસ્સાઓ મારા પોતાના છે, તો કેટલાક સમાજમાંથી સાંભળવા મળેલી ઘટનાઓમાંથી અલગ તારવવામાં આવ્યા છે. પત્રો ભલે બહેનને સંબોધીને લખવામાં આવ્યા હોય, પરંતુ એનું વિષયવસ્તુ આપણી આસપાસ શ્વસતી જીવસૃષ્ટિના પ્રત્યેક મનુષ્યો સાથે વિશેષ સંબંધ ધરાવે છે. સમય અને સંજોગો સાથે ઉઠેલાં આંતરિક વાવાઝોડાંને ટાળવા માટે મેં જ્યારે કલમનો આશરો લીધો, ત્યારે આ પત્રો લખાયા હતાં. ઘણાં પત્રો મારા હર્ષાશ્રુ, હ્રદયદ્રાવક ક્રંદન અને મૂક ટીસોના સાક્ષી છે. કેટલાક પાનાં ઉપર તો મારા સૂકાયેલાં આંસુના લિસોટાં તમને દેખાય, તો પણ નવાઈ નહીં! ‘આનંદતાંડવ’ના તુરંત બાદ પ્રકાશિત થઈ રહેલું રહેલું આ પુસ્તક વાચકો માટે ‘બૂક-બૉનાન્ઝા’ પૂરવાર થશે, એની મને ખાતરી છે. રક્ષાબંધનના આવનારા તહેવાર પર આપણી બહેનોને આ પુસ્તક ભેટમાં આપવા માટે એક ખાસ પ્રિ-બૂકિંગ ઑફર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મૂકવામાં આવી છે, જે અંતર્ગત વાચકમિત્રો ૧૮૫/- રૂપિયા કિંમતનું પુસ્તક ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. એટલું જ નહીં, બે નકલોની ખરીદી કરવા પર પુસ્તકની કિંમત ૧૫૦/- રૂપિયા થઈ જશે, જેના માટે નવભારતની વેબસાઈટ ઉપર ‘SISTER’ પ્રોમો-કોડ ટાઇપ કરવાનો રહેશે. જેનો અર્થ એમ કે DEAR અગ્રજાની બે નકલો આપ કુલ ૩૦૦ (૧૫૦ + ૧૫૦) રૂપિયામાં ઘરે બેઠાં ઑર્ડર કરી શકશો. મુંબઈ, ગુજરાત, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર સહિત આખા ભારતમાં આ ઑફરનો લાભ ઉઠાવી શકાશે. કોઈપણ રાજ્યના ગુજરાતી વાચકોને નિઃશુલ્ક ડિલીવરી કરી આપવામાં આવશે. ખાસ નોંધ: નીચે આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર જ આ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ નંબર 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. https://navbharatonline.com/prebooking/dear-agrajaa.html રક્ષાબંધનના બે દિવસ પહેલાં એટલે કે ૯મી ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ ‘DEAR અગ્રજા’ આપના ઘરે પહોંચી જશે. તહેવાર નિમિત્તે જો ચોકલેટ કે મિઠાઈને બદલે પુસ્તકરૂપી ઉપહારની પ્રથા સજીવન કરીશું, તો એનો પ્રભાવ ઘણો હકારાત્મક અને ચિરકાલીન રહેશે, એવું હું દ્રઢપણે માનું છું.. “ 🙏🏼 - પરખ ભટ્ટ Cover-Page by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“... અને હવે, DEAR અગ્રજા!

રક્ષાબંધન (૧૧ ઑગસ્ટ, ૨૦૨૨)ના પાવન પર્વ નિમિત્તે માતૃરૂપિણી બહેનોને પુસ્તકપુષ્પ અર્પણમસ્તુ... ♥️💐

જીવનના એક તબક્કે ‘બહેન’ શબ્દ માતાનો પર્યાયવાચી બની જાય છે. આયખાનો ખાલીપો, ઝુરાપો અને આંતરવેદના વહેંચવા માટે જ્યારે બહેન હાજર હોય, ત્યારે પરમ શક્તિ પરમેશ્વર આપણાં ઉપર મહેરબાન છે એવું માની લેવું જોઈએ! બાળપણમાં જેને હેરાન કર્યા વગર ભોજન ગળે ન ઉતરે તેવી સખી, જીવનઘડતરમાં મહત્વનો ભાગ ભજવનારી લાગણીશીલ બહેન, ખભે માથું રાખીને હૈયાફાટ રડી શકાય એવી શ્રેષ્ઠ મિત્ર અને મમતાના વ્હાલસોયા સ્પર્શ થકી અનેક સમસ્યાઓને ચપટી વગાડતાંમાં ઉકેલી શકનાર વિશ્વની તમામ બહેનોને આ પુસ્તક અર્પણ છે.

‘DEAR અગ્રજા‘ પુસ્તક મારી કેટલીક અંગત અને અવ્યક્ત લાગણીઓનો ચિતાર છે. કેટલાક કિસ્સાઓ મારા પોતાના છે, તો કેટલાક સમાજમાંથી સાંભળવા મળેલી ઘટનાઓમાંથી અલગ તારવવામાં આવ્યા છે. પત્રો ભલે બહેનને સંબોધીને લખવામાં આવ્યા હોય, પરંતુ એનું વિષયવસ્તુ આપણી આસપાસ શ્વસતી જીવસૃષ્ટિના પ્રત્યેક મનુષ્યો સાથે વિશેષ સંબંધ ધરાવે છે.

સમય અને સંજોગો સાથે ઉઠેલાં આંતરિક વાવાઝોડાંને ટાળવા માટે મેં જ્યારે કલમનો આશરો લીધો, ત્યારે આ પત્રો લખાયા હતાં. ઘણાં પત્રો મારા હર્ષાશ્રુ, હ્રદયદ્રાવક ક્રંદન અને મૂક ટીસોના સાક્ષી છે. કેટલાક પાનાં ઉપર તો મારા સૂકાયેલાં આંસુના લિસોટાં તમને દેખાય, તો પણ નવાઈ નહીં!

‘આનંદતાંડવ’ના તુરંત બાદ પ્રકાશિત થઈ રહેલું રહેલું આ પુસ્તક વાચકો માટે ‘બૂક-બૉનાન્ઝા’ પૂરવાર થશે, એની મને ખાતરી છે. રક્ષાબંધનના આવનારા તહેવાર પર આપણી બહેનોને આ પુસ્તક ભેટમાં આપવા માટે એક ખાસ પ્રિ-બૂકિંગ ઑફર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મૂકવામાં આવી છે, જે અંતર્ગત વાચકમિત્રો ૧૮૫/- રૂપિયા કિંમતનું પુસ્તક ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

એટલું જ નહીં, બે નકલોની ખરીદી કરવા પર પુસ્તકની કિંમત ૧૫૦/- રૂપિયા થઈ જશે, જેના માટે નવભારતની વેબસાઈટ ઉપર ‘SISTER’ પ્રોમો-કોડ ટાઇપ કરવાનો રહેશે. જેનો અર્થ એમ કે DEAR અગ્રજાની બે નકલો આપ કુલ ૩૦૦ (૧૫૦ + ૧૫૦) રૂપિયામાં ઘરે બેઠાં ઑર્ડર કરી શકશો. મુંબઈ, ગુજરાત, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર સહિત આખા ભારતમાં આ ઑફરનો લાભ ઉઠાવી શકાશે. કોઈપણ રાજ્યના ગુજરાતી વાચકોને નિઃશુલ્ક ડિલીવરી કરી આપવામાં આવશે.

ખાસ નોંધ: નીચે આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર જ આ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ નંબર 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે.

https://navbharatonline.com/prebooking/dear-agrajaa.html

રક્ષાબંધનના બે દિવસ પહેલાં એટલે કે ૯મી ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ ‘DEAR અગ્રજા’ આપના ઘરે પહોંચી જશે. તહેવાર નિમિત્તે જો ચોકલેટ કે મિઠાઈને બદલે પુસ્તકરૂપી ઉપહારની પ્રથા સજીવન કરીશું, તો એનો પ્રભાવ ઘણો હકારાત્મક અને ચિરકાલીન રહેશે, એવું હું દ્રઢપણે માનું છું.. “ 🙏🏼

- પરખ ભટ્ટ

Cover-Page by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi)

Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)

“... અને હવે, DEAR અગ્રજા! રક્ષાબંધન (૧૧ ઑગસ્ટ, ૨૦૨૨)ના પાવન પર્વ નિમિત્તે માતૃરૂપિણી બહેનોને પુસ્તકપુષ્પ અર્પણમસ્તુ... ♥️💐 જીવનના એક તબક્કે ‘બહેન’ શબ્દ માતાનો પર્યાયવાચી બની જાય છે. આયખાનો ખાલીપો, ઝુરાપો અને આંતરવેદના વહેંચવા માટે જ્યારે બહેન હાજર હોય, ત્યારે પરમ શક્તિ પરમેશ્વર આપણાં ઉપર મહેરબાન છે એવું માની લેવું જોઈએ! બાળપણમાં જેને હેરાન કર્યા વગર ભોજન ગળે ન ઉતરે તેવી સખી, જીવનઘડતરમાં મહત્વનો ભાગ ભજવનારી લાગણીશીલ બહેન, ખભે માથું રાખીને હૈયાફાટ રડી શકાય એવી શ્રેષ્ઠ મિત્ર અને મમતાના વ્હાલસોયા સ્પર્શ થકી અનેક સમસ્યાઓને ચપટી વગાડતાંમાં ઉકેલી શકનાર વિશ્વની તમામ બહેનોને આ પુસ્તક અર્પણ છે. ‘DEAR અગ્રજા‘ પુસ્તક મારી કેટલીક અંગત અને અવ્યક્ત લાગણીઓનો ચિતાર છે. કેટલાક કિસ્સાઓ મારા પોતાના છે, તો કેટલાક સમાજમાંથી સાંભળવા મળેલી ઘટનાઓમાંથી અલગ તારવવામાં આવ્યા છે. પત્રો ભલે બહેનને સંબોધીને લખવામાં આવ્યા હોય, પરંતુ એનું વિષયવસ્તુ આપણી આસપાસ શ્વસતી જીવસૃષ્ટિના પ્રત્યેક મનુષ્યો સાથે વિશેષ સંબંધ ધરાવે છે. સમય અને સંજોગો સાથે ઉઠેલાં આંતરિક વાવાઝોડાંને ટાળવા માટે મેં જ્યારે કલમનો આશરો લીધો, ત્યારે આ પત્રો લખાયા હતાં. ઘણાં પત્રો મારા હર્ષાશ્રુ, હ્રદયદ્રાવક ક્રંદન અને મૂક ટીસોના સાક્ષી છે. કેટલાક પાનાં ઉપર તો મારા સૂકાયેલાં આંસુના લિસોટાં તમને દેખાય, તો પણ નવાઈ નહીં! ‘આનંદતાંડવ’ના તુરંત બાદ પ્રકાશિત થઈ રહેલું રહેલું આ પુસ્તક વાચકો માટે ‘બૂક-બૉનાન્ઝા’ પૂરવાર થશે, એની મને ખાતરી છે. રક્ષાબંધનના આવનારા તહેવાર પર આપણી બહેનોને આ પુસ્તક ભેટમાં આપવા માટે એક ખાસ પ્રિ-બૂકિંગ ઑફર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મૂકવામાં આવી છે, જે અંતર્ગત વાચકમિત્રો ૧૮૫/- રૂપિયા કિંમતનું પુસ્તક ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. એટલું જ નહીં, બે નકલોની ખરીદી કરવા પર પુસ્તકની કિંમત ૧૫૦/- રૂપિયા થઈ જશે, જેના માટે નવભારતની વેબસાઈટ ઉપર ‘SISTER’ પ્રોમો-કોડ ટાઇપ કરવાનો રહેશે. જેનો અર્થ એમ કે DEAR અગ્રજાની બે નકલો આપ કુલ ૩૦૦ (૧૫૦ + ૧૫૦) રૂપિયામાં ઘરે બેઠાં ઑર્ડર કરી શકશો. મુંબઈ, ગુજરાત, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર સહિત આખા ભારતમાં આ ઑફરનો લાભ ઉઠાવી શકાશે. કોઈપણ રાજ્યના ગુજરાતી વાચકોને નિઃશુલ્ક ડિલીવરી કરી આપવામાં આવશે. ખાસ નોંધ: નીચે આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર જ આ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ નંબર 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. https://navbharatonline.com/prebooking/dear-agrajaa.html રક્ષાબંધનના બે દિવસ પહેલાં એટલે કે ૯મી ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ ‘DEAR અગ્રજા’ આપના ઘરે પહોંચી જશે. તહેવાર નિમિત્તે જો ચોકલેટ કે મિઠાઈને બદલે પુસ્તકરૂપી ઉપહારની પ્રથા સજીવન કરીશું, તો એનો પ્રભાવ ઘણો હકારાત્મક અને ચિરકાલીન રહેશે, એવું હું દ્રઢપણે માનું છું.. “ 🙏🏼 - પરખ ભટ્ટ Cover-Page by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)

Let's Connect

sm2p0