Menu
About
Contact
Website
Trending
reading
books
bookish
bookaholic
shoponline
By Date
Search
Innovative Book Shelf
Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise
Facebook
Innovative Book Shelf!
Innovative Book Shelf!
Jun 03, 2013
37
Let's Connect
Previous post
..
Next post
મૃત્યુ (ત્રણ..
Related Posts
ભારતમાં પૉલિટિકલ મર્ડર મિસ્ટ્રી ખૂબ ઓછી લખાઇ છે. મત, મોત અને મમતનું લોલક પ્રજા પ્રજા-કલ્યાણ અને વિકાસને નામે મતલબીપણાનો ઇલાજ દેખાતો ન હોય, સત્તા, શાણપણ અને સ્વાર્થમાં રમમાણ એકહથ્થુ સત્તાના મદમાં ચૂંટાયેલા લોકનેતાઓ પ્રજા, મતાધિકાર અને બહુમતીની મજાકનો પર્યાય બનતા જાય છે. બુલેટ, બોમ્બ અન બેલેટની રમઝટ સીએમના દાવેદારના જીવનનો અંત લાવે છે. લોકશાહી પર લોહીશાહી હાવી બનતા જાય તેનો નગ્ન તાંડવનો ચિતાર આપતી એક અફલાતૂન પોલિટિકલ મર્ડર મિસ્ટ્રી પ્રફુલ શાહ લિખિત બ્રેકિંગ ન્યૂઝ પુસ્તકમાં આલેખાયેલી છે. દરેક પ્રકરણ દીલધ઼ડક અને રોમાંચ ભરી દેતાં પ્રસંગો અને શ્વાસ થંભાવી દેતી ઘટનાક્રમની રજૂઆત સાથે ‘બ્રેકિંગ ન્યૂઝ’ ખરીદો, વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3ebgSSh #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Mar 06, 2021
આ પેઇન્ટિંગ મારા હૃદયની બહુ નજીક છે. આ પેઇન્ટિંગ મારી આવનારી લઘુનવલનું કવર પેજ છે એટલું જ નહી પણ મારી લઘુનવલમાં આલેખાયા હોય એવા અનેક પ્રસંગો આ ચિત્રમાં દર્શાવ્યા છે. આ ચિત્રનો સર્જક, Romanch Soni છે. લઘુનવલના કવર પેજ માટે મેં મારા અંગત મિત્રોથી લઈને પ્રોફેશનલ artists, બધાને કહી જોયું હતું પણ લઘુનવલ લખાઈ ગઈ પછીનાં પાંચેક મહિના સુધી મને કવરપેજ design કરી આપનાર ન મળ્યું તો ન જ મળ્યું. હું એની ચિંતામાં ડૂબેલી હતી. પછી એપ્રિલ- મે મહિનામાં મારા એક જ વખત કહેવાથી, કેવળ મૈત્રીના આધારે, રોમાંચ મારું કવરપેજ તૈયાર કરી આપવા રાજી થયો. ઓગસ્ટમાં એણે મને આ ચિત્ર સોંપ્યું ને તે દિવસે રવિવાર હતો. હું ચિત્ર ઘરે લઈને આવી પહોંચી ત્યાં સુધી અને એની પછી પણ મેં એ ચિત્રને એટલું બધું સાચવ્યું છે જેટલું મેં મારા અતિપ્રિય ગિટારને પણ નથી સાંચવ્યું. આ ચિત્રને unwrap કરતી વખતનો મારો હરખ અવર્ણનીય છે પણ મેં એને ફોનમાં સાચવી રાખેલો છે. રોમાંચે આ ચિત્ર દોરતા પહેલા ચાલીસ મિનિટ મારી સાથે વાતો કરી હતી અને ચિત્ર દોર્યા પછી, એને સમજાવવા માટે પણ એણે ખૂબ વાતો કરી હતી. એની વાતો સમજતા વખતે, ચિત્રને જોઈને, મારી આંખમાં પાણી આવી ગયા હતા. આને હું કેવળ ભાવુક થવું નહી કહું. જેટલી મહેનત મેં પુસ્તક લખતા પહેલા અને એને લખતા વખતે કરી છે એટલી જ મહેનત રોમાંચે આ પુસ્તક લખાઈ ગયા પછી કરી છે અને એ પણ નિસ્વાર્થ ભાવે. ચિત્ર દોરીને પણ રોમાંચે એનું કામ પતી ગયું હોય એવું ન સમજ્યું. એ પછી એણે મને એ ચિત્રને કવરપેજમાં તબદીલ કરી આપ્યું, મારી સાથે પ્રકાશકને ત્યાં આવ્યો, લઘુનવલ લખી લીધા પછી મારું કામ પતી નથી જતું, એને professionally વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી? એ પણ એણે મને શીખવ્યું છે. આ બધાથી પર, એણે પુસ્તકના teaser- trailerને શૂટ કરવામાં પણ હદ મહેનત કરી અને એનું editing પણ એ જ કરી રહ્યો છે. આ બુક માટે મને બહુ બધાં લોકોએ સાથ આપ્યો છે અને એમાં તારો સાથ અવિસ્મરણીય છે. દોસ્ત રોમાંચ, મારી પહેલી લઘુનવલ પર તારું ઋણ સદા રહેશે. મારી કલા અને આ કૃતિ પર આટલો વિશ્વાસ રાખવા બદલ તારો આભાર મારે માનવો જ રહ્યો. તારી કલાકારીને હું દાદ આપું છું અને હરહંમેશ આપતી રહીશ. Again, Thank you! For everything. -દૃષ્ટિ સોની. મારા પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. https://bit.ly/37YxAjH Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #launch #novel #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published
Mar 06, 2021
UKના સુપ્રસિદ્ધ મેગેઝિન Opinionમાં છપાયેલો અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ‘ વિશેનો લેખ ---- ‘રેન્ડિયર્સ’ - અનિલ ચાવડાની પ્રથમ નવલકથા શું કહી જાય છે? - જયશ્રી મરચન્ટ નવીનતાના શ્વાસોથી ધબકતી આ નવલકથા એક સમૃદ્ધ અને સક્ષમ કલમની નીપજ છે. આ કલમ છે શબ્દોના શિલ્પી અને ગઝલના બાદશાહ કવિ અનિલ ચાવડાની. એમની માતબર કલમ થકી અક્ષરદેહ પામેલી આ એમની પ્રથમ નવલકથા, “રેન્ડિયર્સ” કવિ અનિલ ચાવડાને ઉત્તમ કોટિના સિદ્ધહસ્ત નવલકથાકાર તરીકે પ્રતિપાદિત કરે છે. કવિ છે એટલે ભરપૂર સંવેદના અને સમભાવ એમના શબ્દોની ગળથૂથીમાં હોય જ અને એમાં પણ નવલક્થા જેવું અનંત આકાશ આ શબ્દોની કુમાશને, ભીનાશને ઉછેરવા મળે, તો પછી નવી સંભાવનાના મેઘધનુષો ન ખીલે, એવું બને જ કેમ? આ ગુજરાતી ભાષાનું સૌભાગ્ય છે કે અનિલ ચાવડાની યુવાન કલમે આવી સુંદર નવલકથા સાંપડી છે. કિશોરાવસ્થા - મુગ્ધાવસ્થા અને યુવાની વચ્ચેનો આ ગાળો અલીબાબાની ગુફા જેવો છે. એ ગુફામાંથી કિશોરવયને યુવાન બનીને બહાર નીકળવાનું છે અને એ પણ પોતાની અંદર રહેલી શક્તિને પીછાણીને, એના સંપૂર્ણ સામર્થ્ય સાથે. વિદ્યાર્થી કાળનો કિશોરવસ્થાનો સમય તો મુગ્ધાવસ્થા અને યુવાનીના સંધિકાળનો છે. ગુજરાતી ભાષામાં મુગ્ધાવસ્થાની ઉંમરને લગતું સાહિત્ય નહિવત્ છે. એવામાં આ નવીન વિષય પર, ઉઘડતી સવારની તાજગીસભર આ નવલક્થા મન મોહી લે છે. એનું એક બીજું મહત્ત્વનું કારણ એ પણ છે કે આ નવલકથા વિદ્યાર્થી જીવનના એ દિવસોની યાદ તાજી કરાવી જાય છે, જેમાં સહપાઠીઓ સાથે દિલ ભરીને કરેલી મજા-મસ્તી છે, તોફાનો છે, હસીને બેવડ વળી જવાય એવું સ્થૂળ હાસ્ય પણ છે અને સંવાદોના ચાતુર્યથી નિષ્પન્ન થતું સૂક્ષ્મ હાસ્ય પણ છે. જીવન આખાને તરબતર કરી દે એવી આ ઉંમરે અનુભવાતી મૈત્રીની મીઠી મહેક પણ છે અને નાની-નાની વાત પર થયેલી લડાઈઓમાંથી જન્મેલી અસ્થાયી દુશ્મની પણ છે. શૈશવ પછીના જીવનનો આ કિશોરાવસ્થાનો તબક્કો જીવનના ઘડતરનો ગ્રાઉન્ડ ફ્લોરનો એ થાંભલો છે કે જેના પર યુવાનીની અને આવનારા જીવનની આખી ઈમારત ઊભી થવાની છે. આ થાંભલો જેટલો મજબૂત, એટલી જ જીવનની ઈમારત પણ સધ્ધર બને છે. ૧૪-૧૫ વરસના માધવ બેચરલાલ મકવાણા ઉર્ફે ‘કૂલિયો’ દસ વરસનો હતો ત્યારથી એનું નામ કૂલિયો કેવી રીતે પડ્યું એ વાતથી કથાનો ઉઘાડ થાય છે. ત્યાંથી આ કથા એક ઝીણી તિરાડમાંથી, ધીરેથી સરકીને, થોડી ગભરાતી તો થોડી મલપતી ચાલે કિશોરવયમાં કૂદકો મારીને ઝરણાં સમું સડસડાટ વહેવાનું શરૂ કરે છે અને આ વહેણ પછી તો કથાના અંત સુધી અસ્ખલિત વહે છે. આ કથાનો વ્યાપ દસમા ધોરણમાં ભણવા માટે નવા આવેલા સ્ટુડન્ટોથી શરૂ થાય છે અને એમના ફાઈનલ રિઝલ્ટ સુધીના સમય પૂરતો છે. આ એક વર્ષના સમયમાં, ૧૪-૧૫ વર્ષથી ૧૮ વર્ષના જુદા જુદા સામાજિક અને આર્થિક વર્ગમાંથી આવેલા વિદ્યાર્થીઓની વાર્તા લેખક અહીં કરે છે. દરેક સ્ટુડન્ટ પાસે પોતાની કથની છે અને એ કથા અન્ય સાથી સ્ટુડન્ટના જીવન કે કર્મના વર્તુળ સાથે, ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે Intercept – છેદન થાય છે અને ત્યાં, એ છેદન પોઈન્ટ પર આ બધાં જ સ્ટુડન્ટો અકળ રીતે એકમેક સાથે જોડાઈ જાય છે, પોતપોતાની વાતો સાથે. અને આ જ આખી કથાનું સૌંદર્ય છે. આ ઉંમરમાં જ્યારે મૈત્રી બંધાય છે, ત્યારે એ દોસ્તીના ફાયદા અને ગેરફાયદાના દાખલા ગણવાની સુધ નથી હોતી. આ કાળમાં દોસ્તી કરતી વખતે “સમ શીલ વ્યસેનેષુ સખ્યમ્”માં શીલ, અને વ્યસન બેઉ વચ્ચેની રેખા ધૂંધળી હોય છે. જેની સાથે વ્યસન કે ગુણ બેમાંથી એક મળી જાય તો પણ એ કુમળા માનસમાં મૈત્રી મ્હોરી ઊઠે છે. માધવ ઉર્ફે કૂલિયો છાત્રાલયમાં રહીને ભણતો હોય છે. ત્યાં એના આ “કૂલિયો” ઉપનામને કોઈ જાણતું નથી હોતું, એટલે એને કોઈ એ નામથી અહીં ચીઢવવાવાળું કોઈ નથી, એથી એ પોતાને સુરક્ષિત માને છે. છાત્રાલયના પ્રથમ દિવસથી હિમત - ‘પડીકી’ - સાથે માધવની દોસ્તી થઈ છે. આમાં એક દિવસ, માધવના ગામનો ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ધોરણ દસમામાં નવું એડમિશન લઈને માધવની શાળા અને છાત્રાલયમાં રહેવા આવે છે અને ત્યાં પહેલીવાર હિમત ‘પડીકી’, માધવનું ઉપનામ ‘કૂલિયો’ છે એ જાણી જાય છે. માધવને ત્યારે શક પડે છે કે ચેતનને પણ આ નામ સંભળાયું છે પણ એની પુષ્ટિ એ કરી ન શકવાથી માધવની અંદર એનો ધૂંધવાટ શાળા છોડીને જવાનો દિવસ આવે છે ત્યાં સુધી રહે છે, (જેનો ચોંકાવનારો ખુલાસો અંતમાં થાય છે.) માધવ, હિમત અને ધમો રૂમમેટ બને છે અને એમની રૂમમાં પછી બ્રીજેશ નામનો એક નવો અને ખૂબ મહેનતુ વિદ્યાર્થી પણ ઉમેરાય છે. ચાર જુદા જુદા, સોશ્યલ ઈકોનોમિકલ ક્લાસમાંથી આવેલા આ વિદ્યાર્થીઓ એકમેકની સાથે કઈ રીતે એકમેકની આદતો, મર્યાદાઓ, મસ્તી-મઝાના પર્યાયો, વ્યક્તિગત રીતે ભણતરની પ્રાથમિકતાના ધોરણો અને શાળાના અન્ય છાત્રો સાથેના એમના વ્યવહારોને શાળા અને છાત્રાલયના નિયમોની અંદર રહીને કઈ રીતે ને કેટલું નિભાવે છે, એની વાતો મજેદાર રીતે લેખકે આ નવલકથામાં મૂકી છે. સોનલ, શિલ્પા, મહેશ, ચેતન અનેક પાત્રોનું પાત્રાલેખન સમાંતરે ને સહજપણે કરવું, ને પાછું એ રીતે કે નાનામાં નાના પાત્રની પણ કથામાં સંબધ્ધતા કે સુસંગતતા જળવાઈ રહે અને કોઈ પાત્ર કે એની સાથે ઘટતી ઘટના વધારે પડતી ન લાગે. સ્કૂલમાંથી માંદગીનું બહાનું કરીને થિયેટરમાં દોસ્તો સાથે પિકચર જોવા જવું, છાત્રાલયની કામની વહેંચણી થઈ હોય એમાંથી છટકી જવાની પેરવીઓ કરવી કે પોતાના ભાગે આવેલા કામની સત્તાનો ઉપયોગ પોતાના લાભ માટે કરવો, સહવિદ્યાર્થીઓ સાથે બોલાચાલી અને મારામારી કરવી અને એ માટે શિક્ષા પણ પામવી, આ બધાંની આગવી મજા અહીં મજેદાર રીતે વાચકને સેર પર લઈ જાય છે. એ સાથે ભણવાવાળા સ્ટુડન્ટોની સામે, ન ભણવાવાળા સ્ટુડન્ટોનું એ ઉંમરમાં જાતીય જિજ્ઞાસાને વશ થઈને ઉત્તેજક મેગેઝીનોનું વાંચવું, અને એ બધું જ જરા પણ અયોગ્ય ન લાગે એ રીતે પ્રમાણસર બતાવવું, એમાં લેખકની કલમના વિવેકની કસોટી છે, જેમાં ૧૦૦% માર્ક્સ મેળવીને તેઓ ઉત્તીર્ણ થયા છે. શિક્ષકોની ઠેકડી ઉડાડવી અને એમની બોલચાલની નકલ કરીને આનંદ લેવો, એ પણ આ ઉંમરનો તકાજો છે, જેને ખૂબ જ સ-રસ અને રમૂજી રીતે પણ એક ઔચિત્યથી વર્ણવે છે. દા.ત. વિજ્ઞાનના ટીચરનું હિમત ‘પડીકી’ને પાણીની ફોર્મ્યુલા, H2O બોલવાનું કહેતા, હિમતનું H, I, J, K થી માંડી O સુધી બોલી જવું, સમાજશાસ્ત્રના ટીચર ભારતીબહેનની ભણાવવાની ઘોડાદોડ પ્રશ્નોત્તરીની પદ્ધતિથી પેદા થતી રમૂજ અને હિમતને રાજા રામમોહનરાયના નામમાં ચાર માણસોના નામ લાગવા, “મોગલોએ પાના નંબર ૮થી પાના નંબર ૩૨ સુધી રાજ્ય કર્યું” જેવા જવાબો, ગૃહપતિની મૂછોની મસ્તી વગેરે, સૂક્ષ્મ અને સુરુચિપૂર્ણ વિનોદ ઉજાગર કરે છે. તોફાની બારકસોની ટોળકી, ધમો અને હિમતની સાથે માધવનું સુખડી બનાવવા વગડામાં જવું અને ત્યાં આગ લાગવી, જેવા પ્રસંગમાં અણઘડ, મુગ્ધ કિશોર મન કેવાં ખોટાં નિર્ણયો લે છે એ પણ કોઇ જાતના ફાયદા, ગેરફાયદા કે ઉપદેશ વિના જ બતાવ્યું છે અને કદાચ આવી જ કાચી નિર્ણયશક્તિ પાયામાં હોય તો જ યુવાનીમાં એ ઘડાઈને પરિપક્વતા તરફ આગળ વધે છે. પણ, કોઈ ભૂલો જ ન કરી હોય તો ખરાખોટાં નિર્ણયની પરખ આવે જ કઈ રીતે? આ બધાં તોફાન-મસ્તીમાં અને મોટા થવાની પ્રક્રિયામાં ઘરની પરિસ્થિતિ અને વાતાવરણ કેટલીક વાર અમીટ અસર મૂકી જાય છે. એને લગતાં લાગણીભીનાં પ્રસંગો, લાગણીવેડામાં સરી ગયા વિના આલેખવા અને એ પણ મુખ્ય કથાના પ્રવાહમાં કોઈ ક્ષતિ પણ ન પહોંચે એ રીતે આલેખવા માટે, લેખકનું મોટું ગજું જોઈએ અને એ ગજું અહીં સુપેરે દેખાય છે. ૧૮ વરસના ધમાનું મામા-મામીના ઘરે મોટા થવું, વેકેશનમાં પણ નાનીને મળવા જવું અને પોતાના જમીન માલિક, શ્રીમંત માતા-પિતાને ઘરે ન જવું, સોનલના કુટુંબનું સોસાયટી છોડીને પોતાની બિરાદરીવાળા લોકોની સોસાયટીમાં રહેવા જવું, વગેરે આવા નાની પણ સબળ અને સંવેદનશીલ ઘટનાઓ વચ્ચે જે હ્રદય ભીંજવી જાય છે તે છે માધવના અભણ, ગરીબ, ખેતમજૂર પિતાની છે. એમના એકના એક દીકરાને એક પેન્સિલની ચોરી કરવા બદલ, સ્વયંને તમાચા મારીને દંડિત કરવાવાળી, ‘ગાંધીગીરી’વાળી સત્યપ્રિયતા અંતરના ખૂણાને સ્પર્શી જાય છે, એટલું જ નહીં એમાં વસી પણ જાય છે! એ પ્રસંગને વાંચીને માણવો રહ્યો. આ વાંચતા એમ પ્રતીત થાય છે કે ગાંધી આજે આવા સાદા સીધા માણસોના જમીર અને ખમીરમાં જીવે છે. આ પ્રસંગની ઘેરી છાપ માધવને એની લક્ષ્મણ રેખામાં સ્વેચ્છાથી રહેવા માટે, થોડુંક આગળપાછળ થઈ જાય તોયે, સતત પ્રેરતી રહે છે. બે – ચાર ચોટદાર વાક્યોથી માધવ અને એના જેવા બીજા ગરીબ વિદ્યાર્થીઓની ગરીબીની વાત અહીં ખૂબ જ ઝીણી મર્મજ્ઞતાથી કરવામાં આવી છે. દિવાળીના વેકેશન પહેલાં એક વાક્ય લેખક મૂકે છે માધવના મનમાં “દિવાળીમાં હેપ્પી કેટલું છે?” આ એક વાક્ય જ વેદના અને વ્યથાના કોઠાર ખોલવા માટે પૂરતું છે. “ઘરે જઈશું તો ખેતરમાં કે ઘરમાં મજૂરી કરવી પડશે અને ખાવામાં એ જ, રોટલા શાક કે ડુંગળી-રોટલા. છાત્રાલયમાં બે ટાઈમ દાળ, ભાત, શાક, રોટલી તો પેટ ભરીને મળે છે.” આ વાક્યો આંખમાં પાણી લાવી દે છે! ૨૧મી સદીમાં પણ ભૂખની સમસ્યાથી ઝૂઝી રહ્યાં છે અને એ પણ કોણ, દેશનું ભવિષ્ય, આજના આપણાં બાળકો! દિલ એકદમ અવાચક અને સ્તબ્ધ થઈ જાય છે. કલ્પનો અને રૂપકોના વાઘા પહેરાવી લેખક કડવી અને વરવી સચ્ચાઈને સામે મૂકવાનું કામ કરે છે અને એનો ચૂકાદો વાચકો પર છોડી દે છે. કિશોર વયના છોકરા-છોકરીઓ વચ્ચે અનુભવાતા આકર્ષણની વાત પણ લેખક જાણે રોજિંદી ઘટના હોય એટલા સંયમથી કરે છે. ૧૮ વર્ષના ધમાનું જાતીયતાને લગતા પુસ્તકોને ભણવાના પુસ્તકમાં મૂકીને વાંચવું, સોનલ પ્રત્યે આકર્ષિત થવું, હિમતનું પણ આ જાતીયતાને લગતા પુસ્તકને વાંચવા તલપાપડ થવું, માધવનું શિલ્પા માટેનું ખેંચાણ અને શિલ્પાનું ઉપલા વર્ગની હોવા છતાં નિમ્ન જાતિના સોનલ, માધવ અને હિમત સાથેની દોસ્તી રાખવી અને એ કહેતા રહેવું કે પોતે જાતિવાદમાં નથી માનતી, એ બધાં જ પ્રસંગો એક સમતોલપણું રાખીને વર્ણવાયાં છે. હિમત, માધવ, સોનલ સહુ પોતપોતાને નીચી જાતિના હોવાથી થયેલા અન્યાયની વાતો પણ કોઈ કડવાશ વિના, સહજ હળવાશથી કરે છે ત્યારે જાગરૂક વાચકને સમાજની ચિંતા આપોઆપ થાય છે. શિલ્પા જેવા કેટલાંયે કિશોર કિશોરીઓ હશે કે જેઓ શાળા-કોલેજમાંથી બહાર આવે ત્યાં સુધી જાતિભેદમાં નથી માનતાં, તો પછી જ્યારે જગતના વહેણમાં ફેંકાય છે તો એવું તો ‘કશુંક’ બની જાય છે કે આ જ કિશોર-કિશોરીઓ યુવાનીમાં ધીરેધીરે સમાજની ઘરડી ઘરેડ બદલવા ને બદલે એમાં જ સેટ થઈ જાય છે. આ ‘કશુંક’ શું છે એનો જવાબ શોધવામાં લેખક પડતા નથી પણ સમાજના એકમ સમા દરેક વાચક પર મૂકી દે છે, ભણેલાઓનો જાતિવાદ અને વડીલોની અસહિષ્ણુતા સમાજમાં અસમાનતાની ખાઈ પેદા કરે છે, જેની સામે લેખક ચૂપચાપ લાલબત્તી તો ધરે જ છે. આનું એક સરસ ઉદાહરણ છે જ્યારે માધવ એના અભણ, મજૂર બાપાને પૂછે છે કે, “બાપા, જાતિ એટલે શું?” તો એના આ બાપા સાવ સલૂકાઈથી જવાબ આપે છે કે, “જે ક્યારે ય જાતી નથી એ જાતિ…!” આ એક વાક્ય પછી જાણે પુસ્તકમાં જ “પીન ડ્રોપ સાયલેંસ” પડી જાય છે!\ આ ઉંમરમાં આસપાસના અને ઘરના વાતાવરણની સુષુપ્ત અસર એટલી અસરકારક હોય છે જેને ન તો ઘરનાં સમજે છે કે ન તો શિક્ષકગણ પણ સમજે છે. સોનલ અને શિલ્પાના ઘરની સોસાયટીમાં એસ.ટી. અને એસ.સી. – નિમ્ન જાતિના – underprivileged - સુધરેલા સમાજના હક કે સુખ-સગવડો વિનાનું, જીવન જીવતાં કુટુંબો વચ્ચેના ખુલ્લે આમ ચર્ચામાં રહેલા છાના વિગ્રહની વાત પણ શાળામાં આ સ્ટુડન્ટોના માનસ પર એમની વિચારશક્તિ અને સંવેદના પ્રમાણે ઘેરી અસર છોડે છે. કશો ય ઉપદેશ આપ્યા વિના, લેખક ઘટનાઓને અને પાત્રોને પોતાની રીતે ઉછેરવા દે છે. કથા સહજપણે અને એક પ્રવાહમાં કહેવાય છે. ક્યાં ય પણ જજમેન્ટલ થયા વિના અને કોઇ જાતના કથિત નિતિમત્તાના - મોરાલિટીના ભાર રાખ્યા વિના વાર્તા આગળ વહે છે. છેલ્લે, વાત આવે છે, સહુ પરીક્ષાર્થીઓની, કે જેને ગૃહપતિ રેન્ડિયર્સ કહીને એમના છેલ્લા ઉદ્દબોધનમાં સંબોધે છે. ગૃહપતિનું પાત્ર કઠોર, શિસ્તના આગ્રહી અને સખ્તી વર્તનારા તરીકે તો ઉભરે છે પણ એમના છેલ્લા ભાષણ પછી અને વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી જતાં, ધમા સાથે મારેલી ચેલેન્જને પૂરી કરવામાં તેઓ નિખાલસતા દર્શાવે છે. ચેતન જેવા અનેક સ્ટુડન્ટોને કાબૂમાં રાખીને છાત્રાલય અને નિશાળમાં પોતાની ધાક કાયમ કરનારા આ ગૃહપતિ પોતે ખરેખર કોણ હતા? વિદ્યાર્થી નામના રેન્ડિયર્સને જીવનની ગાડીમાં જોતરનાર અને હાંકનાર સાન્તાક્લોઝ કે પછી રેન્ડિયર્સની ટીમના કેપ્ટન કે પછી એક વિલન? એ જાણવા આ અનોખી અને ગુજરાતી સાહિત્યમાં આજ સુધી કદીયે ન લખાઈ હોય એવી, અનિલ ચાવડાની નવલકથા, “રેન્ડિયર્સ” અંત સુધી વાંચવી રહી. આ નવલકથા આપણા સહુની એ કિશોર અને મુગ્ધવયની દોસ્તીને નામ છે, જે આખી જિંદગી ભૂલી શકાતી નથી. આ નવલકથા વાંચતાં, કિશોરાવસ્થા અને યુવાનીના સંધિકાળની ઉંમરમાં તોફાન, ધમાલ, મસ્તી, બારકસોની ટોળી સાથેની ધમાચકડી સાથે બીજું પણ કેટકેટલું અનુભવાય છે? અને શેની શેની સાથે કિશોરમાનસે સુષુપ્તપણે ઝૂઝવાનું છે એની પણ વાત લેખક સૂક્ષ્મપણે કરે છે. આમ ઝઝૂમવામાંથી ઉપજતી અસલામતિ, આકર્ષણ, મૈત્રી, આરત, અનેક સ્તરે આવતાં અવરોધો, અપમાન, ક્રોધ, અસહાયતા, અનિશ્વિતતા, સામાજિક અસમાનતા અને અવગણના જેવી લાગણીઓનું સંવેદનાપૂર્ણ વર્ણન, સંતુલિતતાથી લેખક કરે છે, ક્યાં ય પણ લાગણીવેડામાં સરી પડવા સિવાય. એક કિશોર કે કિશોરી યુવાન બને ત્યાં સુધીમાં એનું મનોજગત શૈક્ષણિક, સામાજિક અને કૌટુંબિક પરિસ્થિતિના નાનામોટાં કેટકેટલા ધક્કા સહે છે એની વાત સાવ સરળતા, સહજતા, સાદગીથી અને સૂક્ષ્મ રમૂજ સહિત અહીં કરવામાં આવી છે. લેખકે એમનાં દરેક પાત્રને ખૂબ લાડ લડાવીને ઉછેર્યાં છે એ આ નવલકથા વાંચતા પ્રતીત થાય છે, પણ એ સમજવાનું તેઓ વાચકોના ભાવવિશ્વ પર છોડી દે છે. વાચકને માધવ, ધમો, હિમત પડીકી, શિલ્પા, સોનલ, ગૃહપતિ, શિક્ષકોના પાત્રો સાથે કથા વાંચતા એક ઘરોબો કેળવાય છે. કારણ, ક્યાં ય પણ કૃત્રિમતા નથી, બસ, સચ્ચાઈ શબ્દેશબ્દમાં નીતરે છે. સ્વાભાવિકતા અને સહજતાથી વાતોના બખિયાં, સંજોગો દ્વારા ઉધેડાતાં જાય છે અને કથાનું પોત સલુકાઈથી ઉઘડતું જાય છે. આ જ તો આ કથાની યુ.એસ.પી. છે. નવી ઊંચાઈ અને નવા મોડ પર લઈ જતી આ નવલકથા અંતમાં અત્યંત રસપ્રદ રીતે નવા આયામોના આભ ઉઘાડે છે. આવી નવલકથાઓ આપણી ભાષામાં લખાઈ નથી. અનિલ ચાવડાને હ્રદયપૂર્વકના અભિનંદન. મને ખાતરી છે કે આ નવલકથા ઇતિહાસ સર્જશે જ. એમની સશક્ત અને ધરખમ, યુવાન કલમ ઉત્તમ સાહિત્ય સતત સર્જતી રહે અને ગુજરાતીભાષાને વિશ્વ સાહિત્યના ફલક પર મૂકી દે એવું મબલખ લખતી રહે એ જ શુભેચ્છા. e.mail : jayumerchant@gmail.com https://navbharatonline.com/reindeers.html સંદર્ભઃ https://opinionmagazine.co.uk/subcategory/19/literature સંદર્ભઃ https://opinionmagazine.co.uk/details/6929/reindeers-anil-chavdanee-pratham-navalakathaa-shun-kahee-jaay-chhe-?
Mar 06, 2021
આજ સુધી ક્યારેય ન દીઠેલો ખતરો માનવજાત પર તોળાઈ રહ્યો છે. ભૌતિક ચીજવસ્તુની લાલસા અને ધનસંપત્તિ પાછળ દોટ મૂકતાં વિશ્વને અંદાજ પણ નથી કે... પ્રલય નજીક છે! કોણ છે એ મહાતાંત્રિક, જેણે ફરી એક વખત ભારતભૂમિ પર પગ મૂક્યો છે? સદીઓ પહેલાં થયેલી એક ખૌફનાક ભવિષ્યવાણી સાથે એમનો શો સંબંધ છે? શા માટે તેઓ યુગચક્રને અટકાવવા માંગે છે? ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. Available on Amazon. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_YEGBVZ6CS9NEDP0CDZM8 જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words
Mar 06, 2021
sm2p0