“અંતઃ અસ્તિ આરંભ...
કુલ 800 પૃષ્ઠ. મૃત્યુંજયથી ઑલમોસ્ટ બમણા કદની નવલકથા. કુલ 101 પ્રકરણો!
આગામી છ-સાત દિવસોમાં તમામ વાચકોના ઘરે ‘નાગપાશ’ પહોંચવાની શરૂઆત થશે, ત્યારે અમે બંને લેખકો આવતીકાલથી મહા-અસુર શ્રેણીના ત્રીજા ભાગની તૈયારી શરૂ કરી રહ્યા છીએ...
અસંખ્ય પડકારોનો સામનો કરીને આપના સુધી પહોંચી રહેલું આ પુસ્તક અત્યારસુધીની મારી કારકિર્દીનું સૌથી મહત્વાકાંક્ષી સર્જન પુરવાર થયું છે. જે વચન અમે ‘મૃત્યુંજય’ના પ્રકાશન વેળા આપ્યું હતું, એને નિભાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. ‘મૃત્યુંજય’ માત્ર એક મૉશન-પોસ્ટર હતું... ‘નાગપાશ’ વાસ્તવમાં સમગ્ર શ્રેણીનું ટ્રેલર છે અને આગળના ભાગો મૂળ ફિલ્મ!
... પણ આ ટ્રેલરે ધાર્યા કરતાં વધુ સમય લઈ લીધો!
ફેબ્રુઆરીના અંત પહેલાં ગુજરાતના પ્રત્યેક બૂક-સ્ટૉર્સ અને ઘરે-ઘરે ‘નાગપાશ’ પહોંચી ગઈ હશે. રાહ રહેશે આપના પ્રતિભાવની!”
- પરખ ભટ્ટ અને રાજ જાવિયા
“અંતઃ અસ્તિ આરંભ... કુલ 800 પૃષ્ઠ. મૃત્યુંજયથી ઑલમોસ્ટ બમણા કદની નવલકથા. કુલ 101 પ્રકરણો! આગામી છ-સાત દિવસોમાં તમામ વાચકોના ઘરે ‘નાગપાશ’ પહોંચવાની શરૂઆત થશે, ત્યારે અમે બંને લેખકો આવતીકાલથી મહા-અસુર શ્રેણીના ત્રીજા ભાગની તૈયારી શરૂ કરી રહ્યા છીએ... અસંખ્ય પડકારોનો સામનો કરીને આપના સુધી પહોંચી રહેલું આ પુસ્તક અત્યારસુધીની મારી કારકિર્દીનું સૌથી મહત્વાકાંક્ષી સર્જન પુરવાર થયું છે. જે વચન અમે ‘મૃત્યુંજય’ના પ્રકાશન વેળા આપ્યું હતું, એને નિભાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. ‘મૃત્યુંજય’ માત્ર એક મૉશન-પોસ્ટર હતું... ‘નાગપાશ’ વાસ્તવમાં સમગ્ર શ્રેણીનું ટ્રેલર છે અને આગળના ભાગો મૂળ ફિલ્મ! ... પણ આ ટ્રેલરે ધાર્યા કરતાં વધુ સમય લઈ લીધો! ફેબ્રુઆરીના અંત પહેલાં ગુજરાતના પ્રત્યેક બૂક-સ્ટૉર્સ અને ઘરે-ઘરે ‘નાગપાશ’ પહોંચી ગઈ હશે. રાહ રહેશે આપના પ્રતિભાવની!” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા