શ્રી મિતેશ ઝાલા દ્વારા ‘રેન્ડિયર્સ’ પુસ્તકની અભૂતપૂર્વ સમીક્ષા
------------------------
લેખક અનિલ ચાવડાએ દોડાવેલું ‘રેન્ડિયર‘ આજે તેના મુકામે પહોંચી ગયું.
આખેઆખી કથાને ખુબ જ સુંદર રીતે કંડારી છે. દરેક પાત્રને પુરે પૂરો ન્યાય આપ્યો છે.
વાંચતા એવું લાગે છે જાણે પ્રત્યક્ષ છાત્રાલયમાં હોઈએ અને બધું આંખ સામે બની રહ્યું હોય. શરૂમાં એવો ડર હતો કે તમારી ભાષા સમૃદ્ધિ ગામડાની સરળ ભાષાને ખાઈ જશે. પણ જેટલા વળાંકો લઈને કથા છેક અંત સુધી ચાલી છે, એમાં સતત ચોંટેલા રહેતા ધ્યાનથી અન્ય ક્યાંય ધ્યાન ગયું નહિ.
હળવી રમુજો પણ જકડી છે. તો જ્ઞાતિના લીધે ક્યાંક ને ક્યાંક મારા જેવા લોકોએ સહન કરવુ પડ્યું એને પણ ખૂબ સાહસથી રજૂ કર્યું છે. અંતમાં કથાને પુર્ણ કરી ‘રેન્ડિયર્સ’ નામ સાર્થક પણ કરી બતાવ્યું. છેલ્લે આંખોના ખૂણા ભીના થયા વગર રહે નહીં. ચોક્કસ તમારી આ નવલકથા તેની છાપ છોડી જશે. એક વિનંતી છે કે આ કથાને આગળ વધારજો.
ઘણાં સમય પછી એક સુંદર પુસ્તક વાંચ્યું.
- મિતેશ ઝાલા
-------------------------------------------
હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#reindeers #anilchavda #navbharatsahityamandir
શ્રી મિતેશ ઝાલા દ્વારા ‘રેન્ડિયર્સ’ પુસ્તકની અભૂતપૂર્વ સમીક્ષા ------------------------ લેખક અનિલ ચાવડાએ દોડાવેલું ‘રેન્ડિયર‘ આજે તેના મુકામે પહોંચી ગયું. આખેઆખી કથાને ખુબ જ સુંદર રીતે કંડારી છે. દરેક પાત્રને પુરે પૂરો ન્યાય આપ્યો છે. વાંચતા એવું લાગે છે જાણે પ્રત્યક્ષ છાત્રાલયમાં હોઈએ અને બધું આંખ સામે બની રહ્યું હોય. શરૂમાં એવો ડર હતો કે તમારી ભાષા સમૃદ્ધિ ગામડાની સરળ ભાષાને ખાઈ જશે. પણ જેટલા વળાંકો લઈને કથા છેક અંત સુધી ચાલી છે, એમાં સતત ચોંટેલા રહેતા ધ્યાનથી અન્ય ક્યાંય ધ્યાન ગયું નહિ. હળવી રમુજો પણ જકડી છે. તો જ્ઞાતિના લીધે ક્યાંક ને ક્યાંક મારા જેવા લોકોએ સહન કરવુ પડ્યું એને પણ ખૂબ સાહસથી રજૂ કર્યું છે. અંતમાં કથાને પુર્ણ કરી ‘રેન્ડિયર્સ’ નામ સાર્થક પણ કરી બતાવ્યું. છેલ્લે આંખોના ખૂણા ભીના થયા વગર રહે નહીં. ચોક્કસ તમારી આ નવલકથા તેની છાપ છોડી જશે. એક વિનંતી છે કે આ કથાને આગળ વધારજો. ઘણાં સમય પછી એક સુંદર પુસ્તક વાંચ્યું. - મિતેશ ઝાલા ------------------------------------------- હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir